સંતોષ- વાર્તા
જેવું ગણેશ વિસર્જન થાય કે બીજા દિવસથી જ શ્રાદ્ધનું પખવાડિયું ચાલુ. પ્રથમ શ્રાદ્ધ પૂનમનું અને અંતિમ શ્રાદ્ધ અમાસનું. મારી મમ્મી અમાસની રાહ જુએ. મારાં દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનો દિવસ અમાસ છે ને! મારી મમ્મી ખૂબ જ શ્રદ્ધાળુ. ભગવાનમાં એમને ખૂબ જ શ્રદ્ધા અને દરેક ધર્મ- કર્મનાં કામમાં તેઓ આગળ પડીને ભાગ લે. પરંતું હું એમનાથી થોડી અલગ. હું ભગવાનમાં માનું પણ શ્રાદ્ધમાં માનતી નથી. કેમ કે મારું માનવું છે કે વ્યક્તિ જીવિત હોય ત્યારે જ એને કામ લાગવું, એને ખવડાવવું, એને પાણી પીવડાવવું, એનું ધ્યાન રાખવું... મૃત્યુ બાદ આપણે નથી જાણતાં કે શ્રાદ્ધમાં મૂકેલી વાનગી એમના સુધી પહોંચે જ કે કેમ? પણ મારી મમ્મી મારા દાદાનું શ્રાદ્ધ અચૂક કરે, પણ શ્રાદ્ધ મૂકવા માટે થોડી અડચણ ઉદ્ભવે. કેમ કે માન્યતા પ્રમાણે, આમ તો ઘરનો દીકરો શ્રાદ્ધ મૂકે, પરંતુ અમારા ઘરે મારા પિતા નાસ્તિક તેઓ કોઈપણ ધાર્મિક કાર્યમાં માનતા નથી અને મારે ભાઈ નથી. એટલે દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનું કાર્ય મારી બહેનનું. પણ આજે બહેન કોલેજ ગઈ તેથી આજે શ્રાદ્ધ મૂકવા મમ્મીએ મને કહ્યું. દાદીમાં હંમેશાં કહેતાં કે વાસ તો કાગડાને મૂકાય અને કાગડો વાસ ખાય તો ...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો