રુદિયું બોલે

 લાલચ એની આંધળી ને ખુદગર્જીની સીમા નથી

દેહ દીધો જેણે, ભોગ લીધો એનો સત્ય એના જીમાં નથી

દુઃખી મન એ રાજ ખોલે, ધરિણીનું રુદિયું બોલે.


મનુ બન્યો આંધળો, ને ધર્મ બન્યો પાંગળો,

સત્યથી તે દૂર ગયો, ને ધર્મનો ધંધો કીધો

દુઃખી મન એ રાજ ખોલે, સંતોનું એ રુદિયું બોલે.


દેખાડાનો જમાનો છે, દેખાડો જ કમાણો છે,

સાદગી અર્થ વિહોણી, આજે દેખાડે ભૂલાણી છે,

દુઃખી મન એ રાજ ખોલે, સુંદરતાનું રુદિયું બોલે.


ઊંચું જીવન, તુચ્છ વિચાર, આધુનિક આ જીવન કમાલ

'સાદું જીવન ઉચ્ચ વિચાર', મારા તું એ વચન સંભાર,

દુઃખી મન એ રાજ ખોલે, મહાત્માનું રુદિયું બોલે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ