રાવણ બોલ્યો
આખું વર્ષ પોષીને વિજયાદશમી પર મને બાળ્યો,
પૂતળું બાળી મુજનું, સ્વને ફરી મૂર્ખ બનાવ્યો.
મનમાં વસેલો મારો ગુણ, બાળીને તરત જ પોષ્યો,
પોષતા પોષતા ફરીથી તું ઘર ભણી જ આવ્યો.
બળતાં હું પણ હસતો 'તો, માણસ તું કેટલો સવાયો;
દર વર્ષે મને બાળીને પણ હંમેશ મુજથી જ ઘેરાયો.
હરિફાઈ, ઈર્ષ્યા, વાસના, લાલસા, ક્રોધમાં તું સપડાયો,
તું પણ જાણે હું નથી મરતો, તેથી તું બને રઘવાયો.
કર્મશીલ, ગંભીર, મર્યાદા, સત્ય, દ્રઢતાથી હું હરાયો,
નીરખ ખુદને, ન જગાડ મુજને, તો જ ભવસાગર પાર કરાયો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો