જેવું ગણેશ વિસર્જન થાય કે બીજા દિવસથી જ શ્રાદ્ધનું પખવાડિયું ચાલુ. પ્રથમ શ્રાદ્ધ પૂનમનું અને અંતિમ શ્રાદ્ધ અમાસનું. મારી મમ્મી અમાસની રાહ જુએ. મારાં દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનો દિવસ અમાસ છે ને! મારી મમ્મી ખૂબ જ શ્રદ્ધાળુ. ભગવાનમાં એમને ખૂબ જ શ્રદ્ધા અને દરેક ધર્મ- કર્મનાં કામમાં તેઓ આગળ પડીને ભાગ લે. પરંતું હું એમનાથી થોડી અલગ. હું ભગવાનમાં માનું પણ શ્રાદ્ધમાં માનતી નથી. કેમ કે મારું માનવું છે કે વ્યક્તિ જીવિત હોય ત્યારે જ એને કામ લાગવું, એને ખવડાવવું, એને પાણી પીવડાવવું, એનું ધ્યાન રાખવું... મૃત્યુ બાદ આપણે નથી જાણતાં કે શ્રાદ્ધમાં મૂકેલી વાનગી એમના સુધી પહોંચે જ કે કેમ? પણ મારી મમ્મી મારા દાદાનું શ્રાદ્ધ અચૂક કરે, પણ શ્રાદ્ધ મૂકવા માટે થોડી અડચણ ઉદ્ભવે. કેમ કે માન્યતા પ્રમાણે, આમ તો ઘરનો દીકરો શ્રાદ્ધ મૂકે, પરંતુ અમારા ઘરે મારા પિતા નાસ્તિક તેઓ કોઈપણ ધાર્મિક કાર્યમાં માનતા નથી અને મારે ભાઈ નથી. એટલે દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનું કાર્ય મારી બહેનનું. પણ આજે બહેન કોલેજ ગઈ તેથી આજે શ્રાદ્ધ મૂકવા મમ્મીએ મને કહ્યું. દાદીમાં હંમેશાં કહેતાં કે વાસ તો કાગડાને મૂકાય અને કાગડો વાસ ખાય તો ...
સાચી દુનિયા જોવા જ બહાર નીકળવું પડે. સમીર શ્વાસોમાં ભરવા જ બહાર નીકળવું પડે. રંગબેરંગી પ્રકાશ કયા ઘરમાં નથી મળતો? સૂર્યપ્રકાશ મેળવવા જ બહાર નીકળવું પડે. સમજ, જ્ઞાન ને જાણ કયુ પુસ્તક ઓછી આપે? મનની લાગણી સમજવા જ બહાર નીકળવું પડે. સંકોચથી મુંઝાયને ક્યાં સુધી એકલા રહેશો? પોતાને લડતા કરવા જ બહાર નીકળવું પડે. જીવન પૂરું થાય કોઈકના સહારા સાથે પણ! આત્મનિર્ભર બનવા જ બહાર નીકળવું પડે. ✍️ સોનલ ટેલર
તમે આત્મવિશ્વાસ કેળવો. પોતાના પર વિશ્વાસ રાખો. તમે પણ અન્યની જેમ બધું જ કરી શકો છો." શાળાના નવા શિક્ષિકા સરોજબેને વિશ્વાસ દાખવતાં એક વર્ગમાં આવી વાત કરી. જેઓ વર્ગ સુશોભન સ્પર્ધામાં છેલ્લો નંબર આવવાથી ખૂબ ઉદાસ હતાં. સરોજબેનના ઘણાં કહ્યાં બાદ તેમણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતું ધારેલું પરિણામ ન મળતાં તેમના આત્મવિશ્વાસને ઘણો ધક્કો લાગ્યો હતો. આ એ વર્ગ હતો જે શાળામાં સૌથી વધુ અપ્રિય કહી શકાય. કોઈને વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ અપેક્ષા નહીં. તેમના અસ્તિત્વની દરકાર સુદ્ધાં કોઈ લેતું ન હતું. આ આપણને ભેદભાવ લાગે. પરંતું આ વર્ગ હતો જ એવો. વર્ગ બાર - અ નો. નવમાં ધોરણથી એમને શાળાનાં દરેક શિક્ષક સમજાવી સમજાવીને થાક્યાં પણ એમનામાં કોઈ બદલાવ કે સુધાર થયો નહીં. હવે તો ફક્ત શાળાનાં જૂનાં શિક્ષકો ગમે તેમ કરીને તેઓ બારમું ધોરણ પાસ કરીને શાળામાંથી વિદાય થાય તો શાંતિ એમ વિચારતાં. આ વર્ગનાં વિદ્યાર્થીઓ ક્યારેય કોઈ પ્રશ્ન ન કરે. એમની મુંઝવણ કોઈને ન કહે. કોઈપણ ઈતર પ્રવૃત્તિમાં ભાગ પણ ન લે. જો શિક્ષકથી ભણાવતી વખતે કોઈ ભૂલ થાય તો અન્ય વર્ગનાં વિદ્યાર્થીઓ જણાવે પરંતું બાર - અ વાળા ક્યારેય એક શબ્...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો