પરિશ્રમની પૂરક - હસ્તરેખા

 માનવું છે ફરી...? હસ્તરેખા જેવું પણ કંઇક હોય છે!

તો પરિશ્રમના સાથ સાથે જ, ભાગ્ય અનંત હોય છે.


અરમાનો ક્યારેક તૂટે દિલના, દીસે જે ફક્ત રેખાઓમાં;

વ્યાપી જાઓ ફરી એકવાર, શમણાંનો ક્યાં અંત હોય છે?


વિચાર કરે, તે વિચારતાં રહે, ને સમય એનાં મહી વહે;

નાથીને વિચાર જે કર્મ કરી જાણે, તે જ ખરો મહંત હોય છે.


ઝઝૂમવું પડે છેક સુધી, આવેલી મુશ્કેલીને ખમવું પડે;

સફળતા પામવા સહેવા પડે, તે તીક્ષ્ણ કંટક- દંત હોય છે.


છલકી પડે છે અશ્રુ કેટલાંયનાં, અહીં- તહીં રોજેરોજ,

છતાંય લડી લે જે હસ્તરેખાથી, તે જ સાચો સંત હોય છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ