ગઝલ - મનને થશે શાંતિ...

તમને જોઈ લાગી હૃદયમાં એક અજુગતી શાંતિ

જગત ભૂલી જવાય વારંવાર, થાય એવી ભ્રાંતિ


હું સાંભળું અચાનક ક્યારેક મારું નામ તમે પોકારતા

એ થશે વાસ્તવિકતા કે રહેશે હંમેશા ખોટી ભ્રાંતિ?


આંખોમાં એ ઈન્તેજાર ફક્ત હવે મારો નથી રહ્યો,

તમે મળીને કરશો એ એકરાર, ફક્ત એટલું જાણતી


થઈ જશે હાશ! તમને, જ્યારે મને જોઈને

પૂરા થયા વાયદાની, હવે મનને થશે શાંતિ.


✍️ સોનલ ટેલર 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ