જીવન રામ થઈ જાય...

વાટ જુઓ કેમ! આગળ વધો, કંઈ કેટલાંનું કામ થઈ જાય.

નિ:સ્વાર્થ ભાવનું જીવન જેનું, એ જ જીવન રામ થઈ જાય.


કંઈ કેટલીય આશાઓમાં માનવી ઝૂઝતો હર પળે,

વિરક્ત મન જે ઈચ્છા - આશથી એ જીવન રામ થઈ જાય


અયોધ્યા વસે છે પ્રભુ શ્રી રામ કોણ એ સત્યથી અજાણ?

હૃદયમાં હસે જો સત્યથી તો જીવન રામ થઈ જાય.


રાહ તમારી વર્ષોની જોતાં હવે થઈ છેક પૂરી,

જીવન - વન ઉપવન થશે ને આ જીવન રામ થઈ જાય.


પ્રભુ રહે મનમાં સ્મરણ તમારું એ જ અરજ કરું મનથી,

તીરથની ક્યાં જરૂર પછી આ મુજ જીવન રામ થઈ જાય.


✍️ સોનલ ટેલર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ