ખલેલ પહોંચે જ ફાવશે...

આમ તો તું ચૂપ રહીશ તો પણ ચાલશે. પણ જો બોલીશ તો મનને વધારે ફાવશે. એક દ્રષ્ટિ,એક સ્મિત,એક શબ્દની તો જરૂર બસ, એકલતાની શાંતિમાં આ અડચણો વધુ ફાવશે. મનની ઉદાસી ને આંખોમાં ખાલીપો જ્યારે વ્યાપે, ત્યાં શબ્દોનો રણકાર મનને ગૂંજતું કરી બતાવશે. એક સાથ, એક હાથ, એક ઉષ્માનો ભાસ હોય, જીવવા માટે આ અંધકારમાં એક આગિયો પણ ચાલશે. સતત ગૂંજતું આ સ્થળ નીરવ શાંતિ જેવું મુજ મન, નિજાનંદ શોધી મનમાં ખલેલ પહોંચે જ ફાવશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ