ભજન - શિવજીની મહિમા
શિવજીની મહિમા અપરંપાર છે....(૨)
ભોળા ભક્તોના તારણહાર છે.
શિવજીની મહિમા.....
શિવજી પૂજાય છે ત્રણેય લોકમાં....(૨)
ભોળા ત્રિલોકનાથ કહેવાય છે.
શિવજીની મહિમા.....
સર્પ ગળામાં ને ગંગા જટામાં....(૨)
ભોળા શશિના તારણહાર છે.
શિવજીની મહિમા.....
નાગરાજ વાસુકિ અનન્ય ભક્ત....(૨)
ભોળા ઇષ્ટદેવ બની પૂજાય છે.
શિવજીની મહિમા.....
ભસ્મ ચઢે છે શિવજીને ફક્ત....(૨)
ભોળા સતીના પ્રેમથી રંગાય છે.
શિવજીની મહિમા.....
આકરા તપ કર્યા શિવજીને પામવા....(૨)
ભોળા દેવીની પરીક્ષા થાય છે.
શિવજીની મહિમા.....
મહાદેવ ભક્તિથી પ્રસન્ન થાય તો.....(૨)
ભોળા મનેચ્છા પૂરી કરી જાય છે.
શિવજીની મહિમા.....
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો