જીવનની સાર્થકતા
રચના... "સ્નેહ, પ્રેમ, લાગણી, ભાવના બધા પ્રેમના પર્યાય. એક કુણી લાગણી; જે વ્યક્તિ અનુભવે ત્યારે જીવન જીવવા જેવું લાગે. થોડી આશા વધુ મનમાં જાગે. મન પ્રફૂલ્લિત બને, અને જીવવાની થોડી વધુ મજા આવે. આ બધી લાગણી મેં ત્યારે અનુભવી જ્યારે મારા જીવનમાં મા આવી. પહેલી વાર જ્યારે મેં ' મા' શબ્દ પાછળ રહેલો પ્રેમ અનુભવ્યો ત્યારે મને સમજાયું કે પ્રેમ શું હોય? ખાસ કરીને માનો પ્રેમ. આમ તો દુનિયામાં મોટેભાગે દરેક વ્યક્તિની મા હોય છે; પરંતુ મારા જેવા કેટલાક કમનસીબ પણ હોય છે, જેમની પાસે મા નથી હોતી. અનાથાશ્રમમાં મા ક્યાંથી હોય! જો મા હોય તો અનાથાશ્રમ નસીબમાં ક્યારેય ન આવે. મને જન્મ આપનારી મારી માને તો મેં ક્યારેય જોઈ જ નથી. પણ મને જે પાલક મા ભગવાને આપી તેથી વધુ સારી ન જ હોય શકે એવું હું માનું છું. એક સ્ત્રી મા બની શકે એટલે જે મમતા એનામાં હોય એવી મમતા દુનિયામાં બીજા કોઈમાં ન આવે. પરંતું મારી મા દુનિયાની સૌથી અલગ મા છે. મમતાનો ભંડાર છે. મારી મા કોઈ સ્ત્રી નથી. ના, મને કોઈ પુરુષ પાસેથી પણ મમતા મળી નથી. પ્રેમની પરિભાષા જે પુરુષમાં નથી હોતી જે સ્ત્રીમાં નથી હોતી એવી પરિભાષા મને કિન્નર મ...