અણકહ્યો પ્રેમ
દેવ અને દિવ્યા કૉલેજમાં સાથે અભ્યાસ કરતાં. બંનેનો વિષય પણ એક હોવાથી હંમેશા એક સાથે જ રહેવાનું થતું. બંનેને જુના હિન્દી ફિલ્મી ગીતો ખૂબ ગમે, બંને સાદગીમાં માને તેથી સાદા કપડાં જ પહેરે. ઘણી બધી બાબતોમાં સામ્યતા હોવાથી બંનેની મિત્રતા ગાઢ થવા લાગી અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તે બંનેને ખબર જ ન પડી. છતાં પણ ક્યારેય એકબીજાને પોતાના મનની વાત કહી નહી. જેનું બંને પાસે કારણ હતું. એકવાર દેવે દિવ્યાને વાતવાતમાં પૂછી લીધું કે તે લગ્ન વિશે શું વિચારે છે? ત્યારે દિવ્યાએ કહ્યું કે તેને લગ્નમાં વિશ્વાસ નથી. દેવે કેમ પૂછયું તો જવાબ મળ્યો કે, "મારી આસપાસ મેં કોઈ પણ સફળ લગ્ન જોયા નથી, મારી મોટી બહેનનાં લગ્ન પણ તલાક પર આવી ગયા છે." દેવને જાણીને નવાઇ લાગી કે જેની સાથે તે પોતાના ભવિષ્યનાં મનોમન સપના સેવે છે, તે છોકરી લગ્ન કરશે કે નહીં તે નક્કી જ નથી! તેથી તેણે ચોખ્ખા શબ્દોમાં ક્યારેય દિવ્યાને તેના મનની વાત ન કરી, છતાં પણ બંનેના વર્તન-વ્યવહાર ઘણું બધું કહી દેતા. દિવ્યાને પણ દેવ સાથે ફાવતું પણ લગ્ન માટે તેનું મન તૈયાર ન હતું. ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાના મનન...